મનસ્વી - ૭

(92)
  • 3.9k
  • 7
  • 1.9k

અંકુશ ધમકીઓ આપીને ચાલ્યો ગયો.એ પછી સાગરના મનમાં સતત એ જ વિચાર ચાલતો હતો કે અંકુશની વાત મનસ્વીને કરવી કે નહીં ? અંકુશે આજ બહુ ખરાબ રીતે સાગરને અપમાનિત કર્યો હતો. સાગરને થયું કે જો આ વાત હું મનસ્વીને કરીશ તો એ બહુ દુઃખી થશે અને હજુ સ્તુતિને પણ સારું નથી થયું અને વળી એક વધુ ચિંતા મનસ્વી કરે એ સાગરને મંજુર નહોતું. એ મનસ્વીને દુઃખી જોવા માગતો ન હતો.