પ્રતિક્ષા - ૬

(164)
  • 4.2k
  • 6
  • 2k

મનસ્વીએ થોડા કલાકો પહેલા જ પહેરાવેલી સગાઈની વીંટી જોઈ ઉર્વીલનું મન ચકરાવે ચડ્યું હતું. તે કોઈપણ રીતે આ સગાઈથી છૂટવા માંગતો હતો. સગાઈની વિધિથી લઈને મનસ્વીના ઘરેથી બહાર નીકળવા સુધી ઉર્વીલના ગળામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. તેણે મનસ્વી તરફ નજર સુધ્ધાં કરી નહોતી. મનસ્વી અને મયુરીબહેન બધુ જ સમજવા છ્તા અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યાઉર્વીલને રેવા સાથે વાત કરવી હતી પણ તે કોઈ રીતે શક્ય થઈ શકે તેમ નહોતું.તેણે કાંડા ઘડિયાળમાં જોયું તો સાંજના સાત વાગી રહ્યા હતા. કોઈ જ શક્યતા નહોતી કે રેવા આ સમયે મુંબઈની ઓફિસે હોય. અને જો તે ઓફિસે હોય તો પણ તેને ફોન કરવો