જય માતાજી મહાનુભાવો વડીલો સ્નેહી મિત્ર જનો હું પરમાર ક્રિપાલસિંહ આજે તા. 9-10-24 સમય 7:30 આશો નવરાત્રિના સાતમા દિવસે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે. કોણે બનાવ્યો હશે! એક વિચાર એવો પણ આવે મારે પારબ્ધ ના કર્મ? કંઈક રહસ્ય તો છે મારા કંઈક કર્મ યોગ બાકી હશે પારબ્ધ નો કંઈક હજી ખેલ બાકી છે કંઈક ખેલી નાખ્યાં પણ એ રમાડનાર જોનાર ને હું ગમું એવો મારો પ્રયત્ન અને એક લક્ષ્ય છે જીવનનું. ખરેખર ઘણું સમજ્યા પછી ઘણું દુઃખ થતું હોય છે એના કરતા અજ્ઞાની અને અજ્ઞાત રહેવું સારું બાળક બની રહેવું ઉતમ પણ સમજ્યાં પછી જીવવું રહેવું અને સહેવું સરળ નથી હોતું.

1

મારા જીવનના અનુભવો - 1

ધનવાન ને ધન હણાય જવાનો ભય હોય છે. જ્યારે ચારિત્ર્યવાન ને લાંછન લાગવાનો ભય હોય છે. બળવાન ને શત્રુ ભય હોય છે. ભણેલાને બિજાઓ સાથે વાદનો ભય હોય છે. ગુણવાન ને નઠારાઓનો ભય હોય છે. રુપવાન ને ઘરડા થવાનો ભય હોય છે. અને શરીર ને અંતે મૃત્યુ નો ભય હોય છે. વૈરાગ્ય જ નિર્ભય છે અને નિર્ભય બનાવે છે. ...વધુ વાંચો

2

મારા જીવનના અનુભવો - 2

જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધાય થી અલગ છું એ પણ મારા ભ્રંમ છે. ઘણા બધા વિદ્વનો સાથે એવા મહાપરુષ સાથે બેસવાનું થયું ત્યારે મારું જ્ઞાન કંઈ નથી માત્ર મનની ભ્રમણા અને મુરખતા છે. અને વિદ્રાન પુરુષો સારા વસ્ત્રો આભૂષણો માં નથી હોતા. પહેલી સ્થિતિમાં આપણને દરીદ્ર સાધારણ માનવ જણાય પણ કંઈક એના ઊડાણ માં એવું તત્વ સમાયેલું છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતાં. એટલે એવા ઘણા મહાપુરુષો સાથે મળ્યો ઘડીભર બેઠો નામ ની ખબર નથી. પણ એવા શબ્દો એવું જ્ઞાન આજે પણ ગુંજ્યા કરે છે મારા ચિત માં અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો