સૂર્યનારાયણ નો ઉદય થાય એ પહેલા ઘર માં પણ ભાસ્કર ના અવકારની તયારી કરવા લગતા હોય એવી પરંપરા હતી, શરીર સ્વછ કરીઘર,ફળિયું,શેરી ની સફાઈ થઇ જતા ધીમા ધીમા ભાસ્કર ઉગતા દેખાય એટલે તેમને અંજળી ચડાવીને સવારનું શિરામણ થતું, ગામડામાંકહેવત હતી 'જે ઉગતો દિ ના જોવે એનો દી કેમ બને' વૃદ્ધ હોય જુવાન હોય કે નાના છોરુંડા હોય વેલા પરોઢિયે બધાને જગાડી જ દેતા, ઉઠતાની સાથેજ ઘરડા ના મોઢે મીઠી મધુરી ધૂનો ના અવાજ માં દિવસ આખો કામ કરવાની ઉર્જા પ્રાપ્ત થઇ જતી, ત્યારની પરંપરા પણવિજ્ઞાન થી ભરપૂર ને જીવનલાબું જીવવાની કળા નું માર્ગદર્શક હતું, આજના સમય ની ભોગવિલાશ ને કારણે તે સમય નબળો ગણિયેપણ તે સમય ની પરંપરા અત્યારના વિજ્ઞાન ને વળેલા સમય થી ઘણી આગળ માની શકીયે,સવાર ના નાસ્તા ને શિરામણ કેતા,સવારમાં મણ જેટલું એટલેકે દિવસમાં વધુ સવારે જમવાનું , શિરામણ કરીને સૌ કોઈ પોત પોતાનાકામ કાજ માટે ઘર ની બાર નીકળે સૌ મળે ત્યારે રામ રામ ના નાદ થી હોંકારો આપીને વાતોની વહેણ વેતી કરતા, વાતો ઓછી કામ જાજુએવી ભાવના રાખીને ગમેતે કામમાં રચ્યા પચ્યા રહેતા, ઘરની સ્ત્રી બપોર નું ભાથું લઈને આવે ને કુદરતી છાંયે બેસીને જમતા, વાડીનાસેઢા નોખા હોય, ચૂલા નોખા હોય પણ બપોરા એકજ ઝાડવાની નીચે થતા હોય, ત્યારે ટિફિન ની ટાઢી રોટલી કરતા ગરમ ભાણું ખાવાનીટેવો ના કારણે શરીર ચુસ્ત રહેતા, જમીને આરામ કરવા પણ શરીર ને ઝાડવાના છાંયે ઢીલું મુકતા, એટલેજ ત્યારે છાંયો મોટો ને શુદ્ધઓક્સિજન આપે એવા ઝાડવા વાવતા ના કે શોભા માટે દેખાવડા ઉગાવતાં, સૂર્ય તપે એમ એકાદો કલાક છાંયડામાં આરામ કરીને પાછાકામ ને માન આપીને પૂરુંકરવાની આશા માં પ્રાણ પૂરતા, જેમ જેમ સૂર્ય નારાયણ વિદાઈ લેવાની તયારી કરે એમ કામ ને ઢીલાસ આપીનેપોત પોતાના ઘર તરફ પાછા વળી જાય, સંધ્યાવંદન નું ગામના ચોરે નગારું વગડે બધા ભેગા મળીને આરતી, ધૂપ કરીને વારુ કરવાની રીતરાખતા, સાંજ ના સમયે જીવજંતુ નો વધારો થતો હોય એટલે ધૂપ દીપ થી એમનો નાશ થતો અને પછી જમવાનું એને વાળું કેતા એટલેકેવાળ જેટ્લુજ જમવાનું દિવસનું સૌથી ઓછું સાંજે જ જમવાની ટેવ રાખતા ગામના ચોરે કે મંદિરે વાળું કરીને બધા સાથે દિવસભર નીવાતોએ વળગતા ને નવ દશ વાગ્યે સૌકોઈ સુઈ જતા, "સાંજે વેલા જે સુવે ને વહેલા ઉઠે એ વીર,બળ,બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર"એ કહેવત અત્યારેજ કહેવત પ્રમાણે રઈ ગય છે ત્યારે એવીજ પ્રણાલી પ્રમાણે જીવન જીવતા એટલેજ ત્યારના જીવન વગર દવા દારૂ એજીવી જાણતા, ગામનો ચોરો ક્યારેય સુમસાન દિવસ માં ના રહેતો ને અજાણ્યા મહેમાન નો પણ ભગવાન જેવો આવકારો હતો જમવાના સમયે અજાણ્યામહેમાન કે કોઈ સાધુ સંત આવે પણ જમ્યા વગર ગામની બાર ના નીકળવા દે એવી રૂઢિ હતી, અવકારા મોટા હતા એટલેજ મહેમાન નેભગવાન નું બિરુદ આપતા, ઘરમાં વડીલો નું માન જળવાતું એના પડ્યા બોલ જિલાતા માતા પિતા ગમે તેટલા વૃદ્ધ થઇ ગયા હોય વહેવાર એના હાથમાંજ રાખવામાંઆવતો ને એમનેજ ઘરના આગેવાન સમજવામાં આવતા દીકરો ભલે ગમે તેટલો મોટો થાય પણ દીકરો દીકરાની જેમ જ રહેતો એ એનીસમજણ રહેતી, બાપ સામે મોટા અવાજે બોલું કે આખો બતાવવી એ અધર્મ માનતા ને એટલેજ પરિવાર હળી મળીને રઈ શકતો, પરિવારગમે તેટલો મોટો વડલો બને એની એક પણ ડાળ કપાવા ના દેતા કે થડ ને ભરણ પોસણ કરવાની જવાબદારી છીનવી ના લેતા, એટલેજઅઠવાડિયામાં આઠમો વાર પરિવાર કેવાણો છે,ત્યારે માં બાપ ને એકેય દીકરા ખૂંચતા નય કે દીકરાને માં બાપ ના ખૂંચતા.નાના છોકરા માં બાપ કરતા દાદા દાદી સાથે વધારે સમય વિતાવતા એટલેજ ભણતર કરતા ગણતર વધારે શીખી જતા મહેમાન આવે તો ડેલી ખોલે ને પગલાં પડે ત્યાંજ નાનો છોકરો બાપ કે દાદા ના આંખના ઇસારે ગમેતે કરતો હોય પાણી ભરીને મહેમાન નેઆપતો એવી સુજ કોઠા માંથીજ મળી જાતી, નાનું બાળક પડી જાય તો ઘરના વડીલ બેઠા હોય તો કોઈ ઉંચકવાની આશા ના રાખે એમનેજાતેજ બેઠું થવા દેતા નાનેથીજ જિંદગી માં જાતે બેઠું થતા શીખવવાની કળા પ્રદાન કરતા, માટીમાં રમાડીનેજ મોટા કરતા કેમકે માટીજમાટીને પકવે એવી પ્રણાલી જ તંદુરસ્તી બાળપણ માં આપતા. ક્રમશઃ...

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

This time is gone

સૂર્યનારાયણ નો ઉદય થાય એ પહેલા ઘર માં પણ ભાસ્કર ના અવકારની તયારી કરવા લગતા હોય એવી પરંપરા હતી, સ્વછ કરીઘર,ફળિયું,શેરી ની સફાઈ થઇ જતા ધીમા ધીમા ભાસ્કર ઉગતા દેખાય એટલે તેમને અંજળી ચડાવીને સવારનું શિરામણ થતું, ગામડામાંકહેવત હતી 'જે ઉગતો દિ ના જોવે એનો દી કેમ બને' વૃદ્ધ હોય જુવાન હોય કે નાના છોરુંડા હોય વેલા પરોઢિયે બધાને જગાડી જ દેતા, ઉઠતાની સાથેજ ઘરડા ના મોઢે મીઠી મધુરી ધૂનો ના અવાજ માં દિવસ આખો કામ કરવાની ઉર્જા પ્રાપ્ત થઇ જતી, ત્યારની પરંપરા પણવિજ્ઞાન થી ભરપૂર ને જીવનલાબું જીવવાની કળા નું માર્ગદર્શક હતું, આજના સમય ની ભોગવિલાશ ને કારણે તે સમય નબળો ગણિયેપણ તે સમય ની પરંપરા અત્યારના વિજ્ઞાન ને વળેલા સમય થી ઘણી આગળ માની શકીયે,સવાર ના નાસ્તા ને શિરામણ કેતા,સવારમાં મણ જેટલું એટલેકે દિવસમાં વધુ સવારે જમવાનું , શિરામણ કરીને સૌ કોઈ પોત પોતાનાકામ કાજ માટે ઘર ની બાર નીકળે સૌ મળે ત્યારે રામ રામ ના નાદ થી હોંકારો આપીને વાતોની વહેણ વેતી કરતા, વાતો ઓછી કામ જાજુએવી ભાવના રાખીને ગમેતે કામમાં રચ્યા પચ્યા રહેતા, ઘરની સ્ત્રી બપોર નું ભાથું લઈને આવે ને કુદરતી છાંયે બેસીને જમતા, વાડીનાસેઢા નોખા હોય, ચૂલા નોખા હોય પણ બપોરા એકજ ઝાડવાની નીચે થતા હોય, ત્યારે ટિફિન ની ટાઢી રોટલી કરતા ગરમ ભાણું ખાવાનીટેવો ના કારણે શરીર ચુસ્ત રહેતા, જમીને આરામ કરવા પણ શરીર ને ઝાડવાના છાંયે ઢીલું મુકતા, એટલેજ ત્યારે છાંયો મોટો ને શુદ્ધઓક્સિજન આપે એવા ઝાડવા વાવતા ના કે શોભા માટે દેખાવડા ઉગાવતાં, સૂર્ય તપે એમ એકાદો કલાક છાંયડામાં આરામ કરીને પાછાકામ ને માન આપીને પૂરુંકરવાની આશા માં પ્રાણ પૂરતા, જેમ જેમ સૂર્ય નારાયણ વિદાઈ લેવાની તયારી કરે એમ કામ ને ઢીલાસ આપીનેપોત પોતાના ઘર તરફ પાછા વળી જાય, સંધ્યાવંદન નું ગામના ચોરે નગારું વગડે બધા ભેગા મળીને આરતી, ધૂપ કરીને વારુ કરવાની રીતરાખતા, સાંજ ના સમયે જીવજંતુ નો વધારો થતો હોય એટલે ધૂપ દીપ થી એમનો નાશ થતો અને પછી જમવાનું એને વાળું કેતા એટલેકેવાળ જેટ્લુજ જમવાનું દિવસનું સૌથી ઓછું સાંજે જ જમવાની ટેવ રાખતા ગામના ચોરે કે મંદિરે વાળું કરીને બધા સાથે દિવસભર નીવાતોએ વળગતા ને નવ દશ વાગ્યે સૌકોઈ સુઈ જતા, "સાંજે વેલા જે સુવે ને વહેલા ઉઠે એ વીર,બળ,બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર"એ કહેવત અત્યારેજ કહેવત પ્રમાણે રઈ ગય છે ત્યારે એવીજ પ્રણાલી પ્રમાણે જીવન જીવતા એટલેજ ત્યારના જીવન વગર દવા દારૂ એજીવી જાણતા, ગામનો ચોરો ક્યારેય સુમસાન દિવસ માં ના રહેતો ને અજાણ્યા મહેમાન નો પણ ભગવાન જેવો આવકારો હતો જમવાના સમયે અજાણ્યામહેમાન કે કોઈ સાધુ સંત આવે પણ જમ્યા વગર ગામની બાર ના નીકળવા દે એવી રૂઢિ હતી, અવકારા મોટા હતા એટલેજ મહેમાન નેભગવાન નું બિરુદ આપતા, ઘરમાં વડીલો નું માન જળવાતું એના પડ્યા બોલ જિલાતા માતા પિતા ગમે તેટલા વૃદ્ધ થઇ ગયા હોય વહેવાર એના હાથમાંજ રાખવામાંઆવતો ને એમનેજ ઘરના આગેવાન સમજવામાં આવતા દીકરો ભલે ગમે તેટલો મોટો થાય પણ દીકરો દીકરાની જેમ જ રહેતો એ એનીસમજણ રહેતી, બાપ સામે મોટા અવાજે બોલું કે આખો બતાવવી એ અધર્મ માનતા ને એટલેજ પરિવાર હળી મળીને રઈ શકતો, પરિવારગમે તેટલો મોટો વડલો બને એની એક પણ ડાળ કપાવા ના દેતા કે થડ ને ભરણ પોસણ કરવાની જવાબદારી છીનવી ના લેતા, એટલેજઅઠવાડિયામાં આઠમો વાર પરિવાર કેવાણો છે,ત્યારે માં બાપ ને એકેય દીકરા ખૂંચતા નય કે દીકરાને માં બાપ ના ખૂંચતા.નાના છોકરા માં બાપ કરતા દાદા દાદી સાથે વધારે સમય વિતાવતા એટલેજ ભણતર કરતા ગણતર વધારે શીખી જતા મહેમાન આવે તો ડેલી ખોલે ને પગલાં પડે ત્યાંજ નાનો છોકરો બાપ કે દાદા ના આંખના ઇસારે ગમેતે કરતો હોય પાણી ભરીને મહેમાન નેઆપતો એવી સુજ કોઠા માંથીજ મળી જાતી, નાનું બાળક પડી જાય તો ઘરના વડીલ બેઠા હોય તો કોઈ ઉંચકવાની આશા ના રાખે એમનેજાતેજ બેઠું થવા દેતા નાનેથીજ જિંદગી માં જાતે બેઠું થતા શીખવવાની કળા પ્રદાન કરતા, માટીમાં રમાડીનેજ મોટા કરતા કેમકે માટીજમાટીને પકવે એવી પ્રણાલી જ તંદુરસ્તી બાળપણ માં આપતા. ક્રમશઃ... ...વધુ વાંચો

2

This time is gone - 2

નિશાળોમાં છોકરા એકડા ઘૂંટી ઘૂંટી ને પાકા કરતા એટલે કોઠા સુજ પણ મેળવતા નાકે ગોખણીયું જ કરતા, નિશાળ ને નુંમંદિર જ માનતા એટલેજ સંસ્કાર ને શિક્ષણ બને નું સિંચન થતું હતું,પૈસાથી શિક્ષણ ની પ્રણાલી મહત્વની માનવામાં ના આવતી પણ પૈસાને જરૂરિયાત નું નિજી સાધન સમજીને શિક્ષણ ને મહત્વ આપી કેણવણી આપતા, માસ્તર વિદ્યાર્થી ને મારે કે સજા આપે એના વાલીઓપણ વિરોધ ના કરતા એટલેજ કહેવત હતી,"સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ"જે નિશાળ માં છોકરા ભણતા હોય એને શિક્ષણ ની પુરી જવાબદારી એ નિશાળ ભલીભાંતિ રાખતી નાકે અલગ શિક્ષણ મેળવવાનોસ્ત્રોત રાખીને મૂડી કમાવવાનું માધ્યમ બનાવે,એટલેજ માસ્તર ને ગમેત્યાઁ નિશાળ બાર પણ એક ગુરુ જેમજ માન વિદ્યાર્થી ને એમનાવાલીઓ આપતા અને એમની ફરિયાદ નો સંપૂર્ણ પાલન ઘર માં છોકરા બાબતે થતું માસ્તર સામે વિરોધ વિરોધ ના થતો છોકરો ભલેસજા ના સહન કરી શકે પણ સંસ્કાર ને શિક્ષણ માં એમનો પરિવાર એની વિરુદ્ધ પણ થઇ જતો એટલેજ સંપૂર્ણ પરિપક્વ યુવાવર્ગ નુંગઠન થતું હિસાબ ભલે ગમે તેવડો કરવાનો હોય આંગળીના વેઢે કરી બતાવતા, મોટા ના માન ને શિક્ષણ સાથે સાથે વધારતા આંગળી પકડીનેચાલતા, આંગળી ચીંધીને નય.કાચા ઘર હતા પણ પાકા વહેવાર હતા, ઓટલો નાનો હતો એમજ રોટલો એવડોજ મોટો હતો, મહેમાન ને પણ ભગવાન સમાન બિરુદઆપવામાં આવતું હતું, એટલેજ કાઠિયાવાડ માં કહેવાણું છે, કે "કોકદી કાઠિયાવાડ માં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ પણ ભુલાવુ શામળા"સંત,સુરા, સતી, ની ધરતી માં વિવિધ ગામો ગામ એના માન રાખીને ગામની આબરૂ રાખતા ખોટા સમ પણ ખાવામાં મોટા મોટા વડીલોપણ અચકાતા, વટ,વચન,ને વેર ની જુબાની ની કિંમત મરણો તર જાળવીને રાખતા, કોઈનું ભલું ના કરી શકે પણ કોઈનું ખરાબ કરવાનીભાવના ક્યારેય ના રાખતા,વસ્તુ હોય કે કામ આદાન-પ્રદાન કરીને એકબીજાની જરૂરિયાત પુરી કરવાની પ્રણાલી હતી, જાતિ નામાયાજાળમાં ફસાયા વગર આવડતને માન રાખીને એકબીજાના પ્રેરક બની એકબીજાની મદદ થી જીવન વિતાવતા, ગાય હોય કે દીકરીગામની આબરૂ સમજીને સૌ ગામના નાત જાત જોયા વગર સંભાળ રાખતા, પ્રશંગ એક ઘરનો હોય પણ ગામ આખાનો પ્રશંગ સમજીનેઉજવી લેવાની એક પરંપરા હતી, વટેમાર્ગુ ને પણ બપોરા કે વાળું કર્યા વગર ગામની બાર ના જવા દે પછી ભલે ઓળખાણ હોય કે નાહોય એવી એમની માનવતાની મિશાલ હતી, દુસ્મન ને પણ ઘર ની અંદર મહેમાન ગતિ હતી, પછી ભલે ઉંબરો વટ્યા ડેલી બાર વેર હોય, પશુ પંખી ને સવારમાં પહેલાજ ધાન ચારો આપીનેજ શિરામણ કરવાની ટેવ રાખતા નાના છોકરા વડવાઓ ના આવા દરરોજ ના નિત્યક્રમજોઈનેજ શીખી જતા એટલેજ પરિવાર ની પરંપરા જળવાઈ રહેતી, નાના છોકરાને દાદા જે નિત્યક્રમ કરે એમાં સહભાગી બનાવી એના હાથેકરાવતા જેથી એના હૈયા માં એ છપાઈ જાતું એટલે પરિવાર માં સાથે રહેવાની ભાવના રાખી મકાન ને ઘર બનાવી રાખતા, જેમ પરિવારઓછો એમ વિચાર,વહેવાર ને વર્તન ઓછું થઇ જાય એવી માનસિકતા સાથે સહપરિવાર ભેગો રહેવામાં માનતા,સહ પરિવાર માં સાથે રહેવાનો વિરોધ પણ ના થતો દીકરી હોય કે દીકરો માં બાપ ના બોલ પરજ પરણી જતા એટલેજ પારિવારિક જીવનસફળ રહેતા સાત જન્મ ના તાંતણે આખી જિંદગી ના સુખ-દુઃખ એકબીજા સમજીને નિવારણ કરી નાખતા, શહેરોના અંધકારમાં ઉજળું તો મેં ગામડું જોયું છે,ભૂખ્યા પેટને અન્નનાં પોષણ આપતું ગામડું જોયું છે,સુરજ ભાસ્કરને જગાડતું ગામડું મેં જોયું છે,કાચી માટીમાં પાકા વચનો આપતું ગામડું જોયું છે,સ્વાર્થમાં છોડતાને નિસ્વાર્થભાવેઅપનાવતા ગામડું જોયું છે,મૂડી ના મોહમાં વગર મુડીયે જીવાડતું ગામડું જોયું છે,છાતી ચીરીને, હરખના અશ્રુનો વરસાદ કરી ધાન્ય ઉગાડતું ગામડું જોયું છે,સૂર્યનારાયણની વિદાઈ ટાણે સંધ્યા વંદન કરતુ ગામડું જોયું છે.ક્રમશઃ... ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો