Dadajini Olakh

  • 1.8k
  • 602

પૌત્રીના જન્મ પછી જીવન તરફનો અભિગમ જ જાણે દાદાજીનો બની ગયો. સફેદ વાળને રંગીએ તો ય શું અને ન રંગીએ તો ય શું? રોજ દાઢી કરીએ તો ય શું અને ન કરીએ તો ય શું? સવારના પહોરમાં ઉઠીને અને ખાસ તો ઘરની બહાર નીકળતી વખતે મોમાં ચોકઠું ચડાવીએ તો ય શું અને ન ચડાવીએ તો ય શું? બહાર નીકળતી વખતે ઈસ્ત્રીવાળા કપડા પહેરીએ તો ય શું અને ન પહેરીએ તો ય શું?