તેરે બીના ઝિન્દગી ઝિન્દગી નહી

(26)
  • 3.8k
  • 3
  • 951

દોલત અને શોહરત ને પામવાની દોડમાં ક્યારેક એવું બને છે કે બંને મળી જવા છતાં એક એવો ખાલીપો, એક એવો શૂન્યાવકાશ રહી જાય છે કે જે સુખને બદલે સન્નાટો સર્જી દે છે, બહારથી વૈભવી અને મશહુર લગતી સેલીબ્રીટીઓની લાઈફ સ્ટાઈલ ની પાછળ એવી ગમગીની છવાયેલી હોય છે કે, લાખ્ખો ચાહકો અને કરોડો રૂપિયા હોવા છતાં બેચેની દૂર થતી નથી. હાર્ટએટેક થી મૃત્યુ પામેલા એક જમાનાના મશહુર અભિનેત્રી સુચિત્રાસેનની ફિલ્મી કરિયર બહુ દમદાર રહી છે. તેની બાવન બંગાળી ફિલ્મો અને પોણો ડઝન હિન્દી ફિલ્મો વિશે બધા જાણે છે, ફિલ્મ આંધી માં ઇન્દિરા ગાંધીના પાત્રને આરતી દેવી તરીકે તેમણે એવી રીતે ભજવેલું કે છેક રશિયા સુધી તેમની નામનાં થયેલી, પરંતુ તેમનું ખુદનું જીવન પણ કોઈ પડદા ઉપર ચમક દમક ધરાવતી ફિલ્મોને બદલે ટ્રેજેડી ના બેકગ્રાઉન્ડ વાળું રહ્યું હતું....