સામાજિક સ્વીકૃતિ

  • 2.9k
  • 1
  • 642

ક્યારેક અનુભવી સમાજ પણ માણસ ઓળખવા માં થાપ ખાઈ જતો હોય છે,ઘણા માસુમ હૈયાઓ ને સમાજ બીજાની ભૂલો ની સજા આપી બેસે છે,અરે ટોણાઓ ના વરસાદ થી જીવવાનું મુશ્કેલ બનાવી દે છે, એક થકી સો જણા સુધી અસ્તિત્વવીહીન વાતો જયારે પહોચી ચુકી હોય,અને ચારે બાજુ થી બદનામી મળી રહી હોય,પોતે સાચા હોવા છતાં કોઈ ખડા પગે એમની સાથે ઉભા રહેવા કે એમને હિંમત આપવા રાજી નાં હોય ત્યારે અમુક કુમળા હૃદય આ ભીડ માંથી સદાય માટે વિલીન થઇ જતા હોય છે,આ એક એવી જ માસુમ અનીકાની કથની છે,જે હારી ચુકી છે,પણ એના દીકરાની હિંમત થી ઝીંદગીની નવી સફર શરુ કરી દુનિયા સમક્ષ એક ઉદાહરણ પૂરું પડ્યું છે.