શુ ઉપરવાળૉ જિંદગીની વિતેલી પળ આપવા માટે સક્ષમ છે ન

(29)
  • 3k
  • 7
  • 788

તે છતા ઉપરવાળૉ જીવનમા એવા ઘણા પ્રંસંગો,એવા સંબંધો અને માણસો આપે છે....જેના કારણે આપણે ફરીથી આપણામાં રહેલા બાળકપણાને કે મુગ્ધતાને ફરી માણી શકીએ... જીવનમા એક વ્યકિત વ્યકિત આવે છે...જે તમારી અંદર રહેલા અસલ વ્યકિતત્વ કે તમારી અંદર રહેલી જીવનની સૌથી મજેદાર પળૉને માણી શકતી એ દમદાર શખ્સિયતને બહાર લાવે છે.. જિંદગીના એક મોડ પર જેની કલ્પના ના હોય એવી વ્યકિત તમને મળી જાય છે..જેને મળ્યા પછી લાગે કે જિંદગી જીવવા કરતા માણવા જેવી છે.. તમારી જિંદગીમા જે કાંઇ ખૂટતુ હોય કે જે કાંઇ કમી હોય,એ વ્યકિતને મળ્યા બાદ નક્કર પ્રતિતિ થાય છે...મારી જિંદગીમાં જે કાંઇ કાલ્પનિક કે વાસ્તવિક ખામી કે કમી છે,એ આ વ્યકિતના સહવાશ અશતઃ પૂર્ણતા પામશે...