ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભક્તિ, આધ્યાત્મિક રહસ્ય અને સામાજિક એકતાનું સુંદર મિશ્રણ છે. ઘરમાં ગણેશજીનું આગમન, થોડા દિવસ સુધી તેમની પૂજા-આરતી અને ત્યારબાદ ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવા પાછળ પૌરાણિક કથાઓ, ગહન આધ્યાત્મિક તત્વજ્ઞાન અને ઐતિહાસિક કારણો જોડાયેલાં છે.ગણેશજીને ઘરમાં કેમ લાવવામાં આવે છે?ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન ગણેશનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે.પૌરાણિક માન્યતા: માતા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પૂતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યા અને તેમને પોતાના પુત્ર બનાવ્યા, જે બાદમાં ગજાનન ગણેશ તરીકે ઓળખાયા. આ દિવસ ભાદરવા સુદ ચોથ હતો, તેથી આ દિવસે તેમનું ઘરે સ્વાગત કરવામાં આવે છે.અતિથિ તરીકે આગમન: શાસ્ત્રોમાં ગણેશજીને વિઘ્નહર્તા, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને સુખ-શાંતિના પ્રતીક માનવામાં આવ્યા