બંટવારા 1947-રાકેશ ઠક્કર સની દેઓલની ફિલ્મ ‘બંટવારા 1947’ (જે પહેલા ‘લાહૌર 1947’ તરીકે ચર્ચામાં હતી) બોક્સ ઓફિસ અને ક્રિટિક્સ વચ્ચે એક અત્યંત રસપ્રદ તેમજ વિભાજિત કરનારો વિષય બની ગઈ છે. રાજકુમાર સંતોષીના નિર્દેશન અને આમિર ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ માટે એક તરફ ‘ગદર’ અને ‘બોર્ડર’ જેવી ધમાકેદાર અને માસ-એક્શન ફિલ્મોની આશા રાખીને સિનેમાઘરો તરફ દોડી જતી જનતા છે, તો બીજી તરફ અસગર વજાહતના પ્રખ્યાત નાટક ‘જિસ લાહૌર નઈ દેખ્યા વો જન્મ્યા હી નઈ’ પર આધારિત એક ઊંડા અને સંવેદનશીલ નાટકને પડદા પર જોનારા પ્રેક્ષકો છે. આ બે અલગ-અલગ દ્રષ્ટિકોણના કારણે જ ફિલ્મનું