હેત્શિવા : " કેવી રીતે? કંઈ જગ્યાએ એનો ભેટો થયો ?"નિલક્રિષ્ના: "પૃથ્વી પર આવ્યાની પહેલી રાતે હું સડક પર ચાલવા નીકળી હતી ત્યારે, એ મને એ જગ્યા પર મળ્યો હતો."હેત્શિવા: "કંઈજ પુછ્યા વગર જ તે એનો વિશ્વાસ પણ કરી લીધો. એ કોણ છે? ક્યાંથી આવ્યો છે? એ તને જાણવું જરૂરી પણ ન લાગ્યું. 'ચાર દિવસની ચાંદની ને પછી અંધારી રાત' એવું જ થયું છે તારી હારે! એ આ ચાર દિવસ તારો મિત્ર બનીને તારું ગુપ્ત મગશદ શું છે? અને આ કૃત્રિમ દુનિયામાં તને અમે શા માટે લાવ્યા છીએ, એ બધું જાણવા આવ્યો હતો. નહીંતો એમ કોઈ તારી સામું આ જંગલનાં