દિવાળી પ્રકાશ નો તહેવાર

દિવાળી એટલે દીપાવલી...દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા  દિપ= દીવડો અને આવલી= હારમાળા...દિવાળી એટલે "પ્રકાશનો તહેવાર" 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ એટલે દિવાળી...ભગવાન રામના આગમનનો આનંદ વ્યક્ત કરતો તહેવાર એટલે દિવાળી..ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો.દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ"..સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ,અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે .આપણે જેવી રીતે આપણા જન્મને ઉજવીએ છીએ ને તેવી જ રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો