પ્રેમ સમાધિ - પ્રકરણ-106

પ્રેમસમાધિ પ્રકરણ-106 શંકરનાથ એકી શ્વાસે બધુ બોલી રહેલાં. એનાં બોલવામાં ક્યાંય અટકાવ નહોતો ઠહેરાવ નહોતો બસ યિંતા અને ઉશ્કેરાટ સાથે બોલી રહેલાં. ડોક્ટરે પેલી પન્ના સાલ્વે સામે જોઇને કહ્યું “હમણાં બે કલાક પહેલાં આ માણસ શબની જેમ પડેલો ના કોઇ સળવળાટ ના કોઇ પ્રતિધાત માત્ર આઁખ ખોલી જોઇ રહેલો... આ ભાઇ આવ્યા અને અચાનક જાણે શક્તિ આવી ગઇ બધી યાદદાસ્ત તાજી થઇ ગઇ આ કેવો ચમત્કાર છે”.  વિજયે કહ્યું "એમનાં પ્રાણ હવે જાગૃત થઇ ગયાં છે અમે મિત્ર મળ્યા અને અમારી દુનિયા જાણે જીવતી થઇ ગઇ છે પણ હમણાં ને હમણાં એમને લઇ જવાનો મારો ઇરાદો નથી એમને અશક્તિ છે અને અશક્તિમાં શક્તિનો