પ્રેમ સમાધિ - પ્રકરણ-101

(12)
  • 966
  • 552

પ્રેમસમાધિ પ્રકરણ-101 નારણ હજી એનાં ઘરનાં દરવાજે પહોંચે ત્યાં માયા દોડીને એને વળગી ગઇ અને રડવા માંડી "પાપા...પાપા.. જુઓ આ બધુ શું થઇ ગયું ? તમે શું ઇચ્છતાં હતાં અને સાચું સામે શું આવ્યું ?” નારણે કહ્યું "અરે આમ રડે છે શું ? કોઇનું મરણ થયું છે ? આમ રડ નહીં અને મારાં મરશીયા ગાતી હોય એમ...” ત્યાં મંજુબેન અંદરથી બરાડ્યા... એમણે એમનું અસ્સલ ચરિત્ર બતાવવા માંડ્યુ... “અરે વિજયને ધોળે દિવસે તારાં બતાવી દેવાની છું એમ એ કાવ્યાડીને છટકવા નહીં દઊં... " હજી ઘરમાં આમ ઉગ્ર ચર્ચા ચાલે છે ત્યાં સતિષ ગાડી મૂકી દોડતો દોડતો ઘરમાં આવ્યો એણે આવીને નારણને કહ્યું "પાપા એક