ભીતરમન - 10

  • 894
  • 544

બાપુનો ગુસ્સો તો માએ વચન આપી શાંત કરી દીધો હતો પણ મા મનોમન ખુબ ચિંતિત થઈ ગઈ હતી. આ બધું જ મેં ઘરના ફળીયામાં ગાય પાસે હતો ત્યારે જોયું હતું. હું એટલો દુઃખી થઈ ગયો હતો કે, મને એ સમજાતું નહોતું કે, "બાપુને આ સમાચાર કોણે આપ્યા? બાપુ ક્યારેય મંદિર તો જતા નથી તો બાપુને કેમ ખબર પડી?"બાપુ માનું વધુ અપમાન મારી સામે ન કરે એ માટે હું અંદર જ ગયો નહીં! બાપુ અને મા બંને એ વાતથી અજાણ હતા કે, હું બધું જ સાંભળી અને જોઈ ગયો છું. હું ફળીયામાંથી જ દબે ડગલે બહાર નીકળી ગયો હતો. માને મારે