મારા અનુભવો - ભાગ 5

  • 1.3k
  • 1
  • 606

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 5શિર્ષક:- તમારે ગુરુની જરૂર નથીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…5 "તમારે ગુરુની જરૂર નથી." સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. ડાહ્યાભાઈ પીછો છોડે તેવા ન હતા. પાછા સવારે આવી પહોંચ્યા વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો. મને કહે કે “એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે, પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે.' મેં કહ્યું કે કેમ ?” તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે. આર્યસમાજી છે. ભલભલાને છક્કા છોડાવી દે છે. મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે.' મને તેમની વાતનો