ભાગવત રહસ્ય - 23

  • 630
  • 230

ભાગવત રહસ્ય-૨3   સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે   ધન્ધુકારી મડદાના હાથનું જમતો.ચોખ્ખું લખ્યું છે –શવ હસ્તેન ભોજનઃ.—મડદાનાના હાથ કયા ? જે હાથ પરોપકારમાં ઘસાય નહિ તે મડદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી તે મડદાના હાથ છે. ધન્ધુકારી –સ્નાન-શૌચ-ક્રિયાહીન હતો.કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી –સંધ્યા-સેવા