પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 6

  • 904
  • 1
  • 460

૬) ઈલાજ પ્રભાત થયુ એટલે ચારેબાજુ અંધકાર મટી ઉજાસ ફેલાયું. માનવ મસ્તિષ્કમાં રાતની પડેલી શુષ્ક ચેતના, નવચેતન બની જતી હોય છે. નવી આશા, અરમાનો અને સપનાંઓ તરફ ગતિ થતી હોય છે.એવી જ આશા સાથે વંદનાબેન પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા. મિતેષભાઈ પણ દવાખાને આવવા તૈયાર થઈ રહ્યા હતા. પ્રકૃતિ સર્વ તરફ ચેતનવંતુ બની રહ્યું હતું, ત્યાં સિદ્ધાર્થ જ અવદશામાં અટવાયને બેઠો હતો. દસ વાગતાંની સાથે જ દાદી અને મિતેષભાઈ સિદ્ધાર્થને લઈને દવાખાને પહોંચ્યા. ડૉક્ટરે સિદ્ધાર્થના વર્તન પર અભ્યાસ કરી રાખ્યો હતો. તેથી સમય બગાડ્યા વિના જ સીધા મુદ્દા પર આવ્યા. " સિદ્ધાર્થને આઘાત સખત લાગ્યો છે, એટલે સર્વ આવેગો અને