હાસ્ય રંગમાં રંગાઈએ

  • 2k
  • 1
  • 670

હાસ્ય રંગમાં રંગાઈએ- રાકેશ ઠક્કર ધૂળેટી એટલે હાસ્યરંગનો પણ તહેવાર છે. મોજ મસ્તી અને એકબીજા સાથે મજાક કરવાનો પણ આ દિવસ છે. ધૂળેટીના પર્વ નિમિત્તે હાસ્ય કવિ સંમેલનો થાય છે. હસવા- હસાવવાથી આરોગ્ય સારું રહે છે. હાસ્ય એ મફતમાં મળતી શ્રેષ્ઠ દવા છે એ જાણવા છતાં આપણે તણાવ અને ગુસ્સાને વધુ પ્રેમ કરીએ છીએ. ધૂળેટીના તહેવારમાં બધાં દુખ-દર્દ અને ગુસ્સાને બાજુ પર મૂકી ચાલો થોડું હસીએ અને હાસ્યના રંગમાં રંગાઈએ. એટલું જ નહીં પછી પણ જીવનમાં હાસ્યને એટલું જ મહત્વ આપીએ એ આપણાં જીવનના લાભમાં જ છે. ધૂળેટી એવો તહેવાર છે જેમાં કોઈને કોઈ વાતનું ખરાબ લાગતું નથી. તો ચાલો