પરમ ગુરુની યથાર્થ સમજ

  • 888
  • 1
  • 350

જીવનમાં ગુરુની અનિવાર્યતા નકારી શકાય એમ નથી. ગુરુ પ્રત્યક્ષ હોવા જોઈએ, જે ભૂલ થાય તો કાનપટ્ટી ઝાલીને સાચા રસ્તે ચડાવે. ગુરુને પારસમણિ સાથે સરખાવી શકાય જે લોખંડ જેવી મામૂલી ધાતુને કીમતી સોનું બનાવી શકે છે. પણ ખરા ગુરુ તો એવા પારસમણિ છે, જેને અડતા જ સામો પણ પારસમણિ બની જાય. એવા પારસમણિ સ્વરૂપ સદગુરુ શિષ્યને પણ પોતાના જેવો જ બનાવી દે! પછી જેમ સાચા હીરાની ઓળખ કરવા ઝવેરી પાસે જવું પડે, પણ પોતે જ ઝવેરી થઈ જાય તો? પોતે જ કાચ અને હીરાનો ફરક જાણી શકે, એટલે કે પોતાના ગુણ-અવગુણથી સંપૂર્ણ પરિચિત થઈ શકે. અંદર સહેજ ભૂલ થાય કે તરત