સંધ્યા - 44

  • 1.4k
  • 600

સંધ્યાએ જીતેશની સૂરજ માટેની લાગણી જોઈને આવતીકાલે પાંચ વાગ્યે અભિમન્યુને એ મૂકી જશે અને જીતેશ ખુદ એને શીખડાવશે એમ વાત નક્કી કરી હતી. સંધ્યા ત્યાંથી એકદમ ભારી કલેજે બહાર નીકળી હતી. એને આજ ફરી ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. સૂરજની એના સ્ટુડન્ટમાં જે ચાહના હતી એ સંધ્યાને પણ સ્પર્શી ગઈ હતી. સૂરજ એમના ચાહકોનો પ્રેમ જીલી શકે એ પહેલા જ એ પ્રભુ પાસે જતો રહ્યો હતો. એજ વાતનું દુઃખ સંધ્યાને થઈ રહ્યું હતું. કદાચ આ બધી જ ખુશી સૂરજ પણ મેળવી શકત, પણ ભગવાને એ વાતની ખુશીથી એને અળગો જ રાખ્યો હતો. "મમ્મી તું આ અંકલને ઓળખે છે?" અભિમન્યુના પ્રશ્નએ