પ્રેમ સમાધિ - પ્રકરણ -24

(33)
  • 2.9k
  • 2
  • 1.9k

પ્રેમ સમાધિ પ્રકરણ-24 શંકરનાથે રીક્ષાવાળા પાસેથી ફોન પર વાત કરી. ફોન પરથી વાત થયાં પછી એમનો ચહેરો પડી ગયેલો. પેલો રીક્ષાવાળો શંકરનાથનાં ચહેરાંને બરાબર નિરિક્ષણ કરી રહેલો. શંકરનાથે કહ્યું “ભાઇ તારાં ફોન પરથી મેં વાત કરી..... હું થોડીક મુશ્કેલીમાં છું ઉપરથી મારો ફોન ટ્રેઇનમાં ચોરાઈ ગયો ફોનનો ઉપયોગ કરવો પડ્યો. મારે હજી બીજા પણ ફોન... તમને વાંધો ના હોય તો મારે હજી ફોન કરવા છે.... હું પૈસા ચૂકવી દઊં..... પછી મારાં અંગે કોઇ ફોન આવે તો કહી દેજો પેસેન્જર હતો ઉતરી ગયો મને કંઇ ખબર નથી.” હવે પેલો રીક્ષાવાળો ગભરાયો... એણે કહ્યું સાહેબ મેં તો તમારી મદદ કરવા ફોન આપેલો...