ગુરુ વગર જ્ઞાન નહીં !

  • 2.5k
  • 1
  • 848

પ્રશ્નકર્તા : ગુરુ કરવા જ જોઈએ, ગુરુ વગર જ્ઞાન ના મળે, એ સિદ્ધાંત બરાબર છે ?દાદાશ્રી : બરાબર છે. હવે ‘ગુરુ’ એ વિશેષણ છે. ‘ગુરુ’ શબ્દ જ ગુરુ નથી. ‘ગુરુ’ના વિશેષણથી ગુરુ છે, કે આવા વિશેષણવાળા હોય તો એ ગુરુ અને આવા વિશેષણ હોય તો ભગવાન !પ્રશ્નકર્તા : સાચા ગુરુના લક્ષણો કયા ?દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવા સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને આમ જોતાં જ આપણું આખું શરીર વિચાર્યા વગર જ નમી જાય. તેથી કવિએ લખ્યું છે ને,“ગુરુ તો કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝુકી જાય.”જોતાની સાથે