સંધ્યા - 24

  • 2.5k
  • 5
  • 1.4k

સૂરજની નિખાલસતા છલકાવતી વાતથી સંધ્યા ઘડીક સ્તબ્ધ જ થઈ ગઈ હતી! એની કલ્પના બહાર હતું કે, કોઈ પુરુષના વિચાર આવા પણ હોય શકે. સંધ્યા એવું સાંભળતી આવી હતી કે, એક પરણિત સ્ત્રીએ ફક્ત અંકુશ અને બંધનમાં જ રહેવાનું હોય છે. સૂરજની વાતથી એને ફરી પોતાના ભાગ્ય પર ગર્વ થઈ આવ્યો હતો. એ આવા વિચારોમાં જ હતી ત્યારે સૂરજ ફરી બોલ્યો, "શું થયું સંધ્યા?""અરે! એમ જ" આંખમાં આંસુની ઝલક છવાઈ ગઈ હતી."તો તું કેમ ભાવુક થઈ ગઈ?""મને મારા પ્રેમ પર ખુબ ગર્વ થઈ આવ્યું, ભગવાને મને જીવનસાથી તરીકે તમને આપીને દુનિયાની બધી જ ખુશી આપી દીધી છે." આટલું બોલી ને એ