વરદાન કે અભિશાપ - ભાગ 24

  • 2.2k
  • 1
  • 928

વરદાન કે અભિશાપ (ભાગ-૨૪)             (નરેશના પોતાના કાકા દેવરાજને વ્યવહાર કરવાના નિર્ણયથી મણિબેનને ઘણું જ ખરાબ લાગે છે. તેઓ આખી રાત ઉંઘી શકતા નથી. આખી રાત તેઓના મનમાં થોડું-થોડું કરીને ઝેર ભરાઇ ગયું હોય છે અને એમાં પણ નરેશની સાથે-સાથે હવે તેમના મનમાં દેવરાજ માટે પણ ઝેર ભરાઇ ગયું હોય છે. જે હવે તેમના મનમાં ઘર કરી ગયું હતું. બીજા દિવસે સવારે મણિબેન નરેશ અને સુશીલાને અલગ રહેવા જવા માટે કહી દે છે. નરેશ અને સુશીલા એકબીજાની સામે જુએ છે. તેઓ બંને સમજી જાય છે કે, કમલેશે કરેલી કાનભંભેરણીમાં મણિબેન ભરમાઇ ગયા છે અને જન્મદિવસના દિવસે થયેલ બનાવે તેમા ઘી