અમી અને શિવાંશ

  • 2k
  • 1
  • 812

"જાણે  રે  સૌ  દુઃખ, વીરમાત તણા, વ્યથા વીરપિતા તણી સમજે રે હર કોઈ, બલિદાન વીરવધુ તણા, કેમ નવ સમજે રે કોઈ"?   અમીએ પરિવાર વિરુદ્ધ જઈને શિવાંશ સાથે લગ્ન કર્યા હતા . લગ્નના એક  વર્ષમાં અમી અને શિવાંશ એકબીજાના રંગમાં એવા રંગાઇ ગયા હતા કે ,અમીને તેનો પરિવાર ક્યારેય  યાદ જ ન આવતો પણ, આજે  આરામ ખુરશીમાં બેઠેલી અમીની નજર  તેના મમ્મી પપ્પાના ફોટા પર જતા  જ  તેને પોતાના ભૂતકાળનો એ સમય યાદ આવી ગયો જ્યારે તે તેના પપ્પાને શિવાંશ માટે મનાવવાના પ્રયત્નો કરી રહી હતી.   અમી તેના પપ્પાને  વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે, તમને વાંધો