પ્રેમ વચન - 5

  • 1.6k
  • 768

"નારાયણનો પાંચમો અવતાર અને પ્રેમનું પાંચમું વચન."એક સમય એવો હતો, કે જ્યારે આ પૃથ્વી પર અત્યંત શક્તિશાળી અસુર રાજ બલિરાજા રાજ કરતો હતો. સંસારમાં શક્તિશાળી રાજા અને એક સારા રાજા પણ હતા. તેમની પ્રજા પણ તેનાથી પ્રસન્ન હતી. પરંતુ માત્ર એની પત્ની જ એનાથી પ્રસન્ન ન હતી. બલિરાજા પૂછે છે, શું થયું મહારાણી? તમે આટલા દુ:ખી કેમ છો? મહારાણી કહે છે, મહારાજ તમે સંપૂર્ણ સંસારમાં સર્વ શક્તિશાળી છો, તમે પાતાળ લોક, પૃથ્વી લોક પર રાજ કરો છો. પરંતુ હું ઇચ્છું છું કે તમે સમસ્ત બ્રહ્માંડમાં રાજ કરો. અસુરો માં આજ સુધી કોઈ ઇન્દ્ર બન્યું નથી. હું એવું ઇચ્છું છું કે