રેશમી ડંખ - 5

(43)
  • 3.9k
  • 1
  • 2.8k

5 અંધારી આલમના જાસૂસ જગ્ગીને સિમરનના ભૂતકાળ તેમજ એના દોસ્તો વગેરેની માહિતી મેળવવાનું કામ સોંપીને, એની પાસેથી નીકળેલો ભાડૂતી હત્યારો રાજવીર અત્યારે કૈલાસકપૂરે આપેલા સિમરનના સંભવિત ગુપ્ત સરનામાઓવાળા સ્થળો પર લટાર મારી રહ્યો હતો. તે સાવચેતીમાં માનતો હતો. શકયતા નહોતી, પણ તેમ છતાં તે કૈલાસકપૂરે આપેલા સિમરનના આ સરનામાઓ પર એટલા માટે ચકકર મારી રહ્યો હતો કે, કદાચને કૈલાસકપૂર તપાસ કરાવે તો એને જાણવા મળે કે, તે સિમરનની તપાસ માટે આ સ્થળો પર ગયો હતો. તે એમને એમ જ બેસી રહે તો કૈલાસકપૂરને તે કંઈક ગરબડ કરી રહ્યો હોવાની ગંધ જવાનો ભય રહેલો હતો. અત્યારે રાતના એક વાગ્યાને દસ મિનિટે