ડાયરી - સીઝન ૨ - વિશ્વરૂપ દર્શન

  • 1.5k
  • 764

શીર્ષક : વિશ્વરૂપ દર્શન ©લેખક : કમલેશ જોષી તમે શું માનો છો? આપણે દેવતા સાઇડ છીએ કે દાનવ સાઇડ? શ્રીમદ ભગવદ ગીતામાં કાનુડાએ કહ્યું કે હું 'પરિત્રાણાય સાધુનામ્ અને વિનાશાય ચ દુષ્કૃતામ્'ના હેતુથી યુગે યુગે આવી પહોંચું છું એમાં હું અને તમે સાધુનામ્ સાઇડ કહેવાઈએ કે દુષ્કૃતામ્ સાઇડ? ફટાક કરતું ‘દેવતા’ સાઇડ કે સાધુ, સરળ, સજ્જન સાઇડ કહેતા પહેલા એક વાર હૃદય પર હાથ રાખી, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરતા હો, એમ ભીતરે થતા કંપનને માપી લેજો. અમારા એક સુખી-સંપન્ન-સફળ વડીલે કહ્યું કે જો પ્રામાણિકતાથી પૂછતા હો તો મને લાગે છે કે આખી લાઇફ રોંગ સાઇડ, દુષ્કૃતામ્ સાઇડ જીવાઈ ગઈ ત્યારે