ધ સ્કોર્પિયન - પ્રકરણ-109

(64)
  • 2.9k
  • 2
  • 2k

રાયબહાદુરે કહ્યું “સિધ્ધાર્થ આપણે જંગલમાં જવા સીધા નીકળીએ છીએ એ પહેલાં અવંતિકા તથા રુદજી સાથે વાત કરી લઊં. એમને જાણ કરી દઊં” એમ કહી અવંતિકાજીને ફોન લગાવ્યો. અવંતિકાજીએ તરત ફોન ઉપાડતાં કહ્યું “રાયજી સારુ થયું તમારો ફોન આવી ગયો. અમે અહી એક...” રાયજીએ કહ્યું “શું થયું ? અમારો કાર્યક્રમ બદલાયો છે અહીંથી સીધા જંગલ તરફ જવાનાં અમને પાકી માહિતી...” ત્યાં અવંતિકાજીએ વચ્ચે વાત કાપતાં કહ્યું “રાયજી તમારી ડયુટી પર છો ખબર છે તમે પેલાં કાળ મુખા પાછળ છો. પણ અહીં આર્યન અને આંકાંક્ષા સાથે બધી વાત થયા પછી....” રાયજીએ કહ્યું “શું થયુ ? શું વાત છે ?” અવંતિકાજીએ કહ્યું “આર્યન