ધ સ્કોર્પિયન - પ્રકરણ-106

(66)
  • 3.2k
  • 1
  • 2k

સિધ્ધાર્થ સાથે રાયબહાદુર મળેલી બાતમી પ્રમાણે હિમાલયની પર્વતમાળા તરફ જવા નીકળી ગયાં. રાયજીને થોડી ચિંતા હતી કે આટલા સુંદર પવિત્ર અને કુદરતી પરીસર જેવી જગ્યામાં આવો કેફી દ્રવ્યો આતંકનું દૂષણ સ્ત્રીઓનું શોષણ તથા ધાર્મિક ઝૂનૂની અડચણો કેવી રીતે થઇ શકે ? સિધ્ધાર્થ રાયજીની સામે જોતાં કહ્યું "સર તમને મેં બધીજ માહિતી આપી છે જે મને મારાં ગુપ્તચરોથી મળી હતી આપણે એ રીતે પગલાં લઇ રહ્યાં છે. મેજર જંગલ તરફ નીકળી ગયાં છે આપણે સૈન્યની ટુકડી સાથે પર્વતમાળાનાં મઠ તરફ છીએ. રુદ્રજી ત્યાં સંભાળી લેશે”. રાયબહાદુરે સિધ્ધાર્થનાં છેલ્લા વાક્ય પર અસહમતિ દર્શાવતાં કહ્યું “રુદ્રજી એમની એસ્ટેટ પણ નહી સંભાળી શકે બાજી