દશાવતાર - પ્રકરણ 80

(48)
  • 2.5k
  • 1
  • 1.5k

          "આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી." ભૂપતિએ સ્પષ્ટ કર્યું, "આપણી પાસે પાણી છે પણ ખોરાક વિશે ભૂલી જાઓ. આ શહેરમાં લોકોનો ખોરાક ખતમ થઈ રહ્યો છે. જો આપણે અહીં રહીશું તો પણ મરી જ જઈશું."           "અને એકવાર આપણે આ શહેરની બહાર જઈશું પછી શું કરીશું?" પદ્માએ બીજો પ્રશ્ન કર્યો.           “મેં વર્ષોથી વાસ્તવિક દેવતાઓને મદદ કરી છે અને એમની ગુપ્ત શિબિર વિશે જાણું છું. એકવાર આપણે ત્યાં પહોચી જઈએ તો આપણે સુરક્ષિત રહીશું. એમની પાસે ખોરાક અને દવા છે. એક માણસને જીવીત રહેવા જરૂરી બધું છે.”