હમદર્દ..... તારા પ્રેમ થકી... - 24. ખુલાશો

  • 1.6k
  • 1
  • 818

સ્વરાની કારકિર્દીમાં આ ઘટના સામાન્ય ન હતી ડોક્ટર જોન્સ હવે સ્વરા નો પેલી પાર્ટીમાં હાજર રહેવાનો મકસદ જાણી ગયા હતા . અને આ સાથે જ ડોક્ટર જોન્સ ને સ્વરાને દિલ્હીની સંજીવની માં ટ્રાન્સફર કરવાનો વિચાર આવ્યો. કારણ કે સ્વરાની પાસે જે કબિલિયત હતી તે હવે સંજીવની માટે યોગ્ય હતી. અને સંજીવની ને પણ આવા જ કુશળ તબીબો ની જરૂર હતી. ડોક્ટર માત્ર રોગ સાજો કરવા માટે જ નથી પરંતુ તેનું કામ પેશન્ટને સંપૂર્ણ પણે ગંભીર બીમારી પછી પણ સામાન્ય જીવન જીવવા માટે પ્રેરક કરવાનો છે જે વાત સ્વરા એ બધા ને સમજાવી હતી . ડોક્ટર જોન્સ સંજીવની સાથે સારી રીતે