ધ સ્કોર્પિયન - પ્રકરણ-78

(63)
  • 3k
  • 5
  • 1.8k

રુદ્રરસેલે બધાની વાત સાંભળી પણ અંદરને અંદરથી ચિંતામાં પડી ગયાં. ગણપત જ્યારે હાજર નહોતો ત્યાં સૂપણ મરી ગયાંની વાત હતી તો એને કેવી રીતે ખબર પડી ? એ ગૂંચવાયા વિચાર્યુ કંઇક તો ભેદ છે એમાં. એમણે તિક્ષ્ણ દ્રષ્ટિથી ગણપતની સામે જોયું. ગણપતની આંખમાં આંખ પરોવીને જોયું તો ગણપત એમની નજર સહી ના શક્યો નીચું જોઇ ગયો. રુદ્રરસેલે એનાં પરથી નજર હટાવી લીધી. *********** રાયબહાદુર રાયે વાયરલેસથી મેજર અમન અને સિધ્ધાર્થ સાથે વાત કરી પ્રથમ સિદ્ધાર્થ સાથે વાત કરી.. ત્યારે સિધ્ધાર્થે કહ્યું “સર બે દિવસથી હું આપનો સંપર્ક કરવા પ્રયત્ન કરું છું. મને કોલકત્તા હેડકવાર્ટસ પર બોલાવેલો છે હું ત્યાંજ છું