દશાવતાર - પ્રકરણ 60

(67)
  • 3.3k
  • 1
  • 1.5k

          પવને એને લાત મારવાને બદલે હાથ આગળ કર્યો. સુબોધે નિસાસો નાખ્યો અને એનો હાથ પકડી લીધો. પવને એને ઊભા થવામાં મદદ કરી.           વજ્ર નજીક આવ્યો. એની ચાલ જંગલી પ્રાણી જેવી ધીમી પણ સ્થિર હતી. એણે સુબોધની આંખોમાં જોયું, "તું આમ હાર ન સ્વીકારી શકે." એનો અવાજ ગંભીર હતો, “માણસ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એ હાર ન સ્વીકારી શકે. આ કળિયુગ છે અને કળિયુગમાં તમારા છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર રહેવું પડે. જ્યાં સુધી પાટનગરમાં પૂજાતા એ મંદિરનું પતન ન થાય ત્યાં સુધી આપણામાંથી કોઈ હાર નહીં માને. કારુ અને એનું શાસન