કૃષ્ણ પ્રેમક્રીડા ના શૃંગાર કાવ્યો By નરસિંહ મહેતા

(22)
  • 7.3k
  • 1
  • 3.6k

આપણે સહુ નરસિંહ મહેતા ના ભજનો જાણીયે છીએ પણ ક્યારેય નરસિંહ મહેતા ના શૃંગારિક કાવ્યો થી સાવ અજાણ છીએ. કેમ કે આપણને શૃંગાર રસ કે સેક્સ વિષે વાતો કરતા શરમ આવે છે. જે નરસિંહ મહેતા એ ભજનો લખ્યા એ જ નરસિંહ મહેતા એ કૃષ્ણ ભગવાન ની રાસલીલા ના શૃંગાર કાવ્યો પણ લખ્યા છે. પણ શૃંગાર રસ વિષે વાતો કરતા તો આપણને શરમ આવે એટલે આપણે એને સાવ ભૂલી જ ગયા. લગભગ આપણે સહુ એ નરસિંહ મહેતા ના જીવન નો એ પ્રસંગ તો સાંભળ્યો જ હશે કે નરસિંહ મહેતા એની યુવા વય માં ભાભી ના મેણાં ટોણાં થી દુઃખી થઇ ને