કળિયુગના યોદ્ધા - 6

  • 1.8k
  • 1
  • 916

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમારે મયુરને તલાશી લેવા માટે મનાવી લીધો હતો . મયુરે બધી ઘટના ફરી કહી સંભળાવી હતી . હવે આગળ પ્રકરણ-૬ કુમાર અને પાટીલ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બપોરના જમવાનો સમય થયો હતો . તેથી પાટીલે કુમારને કહ્યુ " કુમાર સાહેબ , જમવાનો સમય થઈ ગયો છે , તો ચાલો જમીને પછી જ આગળનું કામ શરૂ કરીએ " " અમ્....એક કામ કરો પાટીલ તમે મેસમાં પહોંચો હું બસ પાંચ મિનિટમાં આવ્યો ." આટલું કહીને કુમાર પોલીસ સ્ટેશન અંદર ચાલ્યા ગયા અને પાટીલ કેન્ટીનમાં ચાલ્યા ગયા . કુમારે અંદર પોલીસ સ્ટેશનના એવીડન્સરૂમમાં જઈને ' હર્ષદ