હાસ્ય લહરી - ૪૭

  • 2k
  • 758

એકાદ હાસ્યનું દવાખાનું ખોલું..!                                                                      કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ હવાતિયા મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય નહિ. કહેવાય છે કે, ઈચ્છા અધુરી રહે અને શ્વાસ પુરા થાય, એને મૃત્યુ કહેવાય. અને ઈચ્છા પૂરી થાય ને શ્વાસ પુરા થાય એને મોક્ષ કહેવાય..! મને મોક્ષ નથી મળવાનો એની ખાતરી છે. એટલા માટે કે, ચડ્ડીનું નાળું બાંધતા નહિ આવડતું ત્યારથી, ત્યારથી મારી બે ઈચ્છા હતી કે,  ૪૦ વર્ષનો થઈશ ત્યારે હું ડોકટર હોઈશ..!  એના કપાળમાં કાંદા ફોડું, એમાંથી એક જ ઈચ્છા પૂરી થઈ, હું ૪૦ વર્ષનો તો થયો, ડોક્ટર