પાયાનું ઘડતર - 1

  • 2k
  • 1
  • 940

પાયાનું ઘડતર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે દોડાદોડી તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા છે. શાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું. આજે તેમણે બાળકો માટેનું