સંત શ્રી મેકરણ દાદા..

  • 5.6k
  • 1
  • 2.5k

આપણા ગુજરાતની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં ઘણા મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશમાં ૧૭ મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણનો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા મેકરણનો જન્મ જલારામ બાપાની જેમ લોક કલ્યાણ અર્થે જ થયો હતો. દાદા મેકરણનું બાળપણનું નામ મોકાયજી હતું. દાદા નાનપણથી જ લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યા-પચ્યા રહેતા. તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો, આથી પિતાના પારંપરિક ધંધામાં રસ ન દાખવી માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી,