રાતચર્યા

(21)
  • 1.7k
  • 1
  • 720

આજનો આખો દિવસ ન જાણે કેમ મન ઉદાસ જ રહ્યું. સવારે ઉઠ્યો ત્યારે સ્ફૂર્તિ જ ન હતી. એવું ન હતું કે રાત્રે સારી ઊંઘ આવી ન હતી. બહુ મોજથી ઊંઘ્યો હતો. પૂરા નવ કલાકની ઊંઘમાં એક વખત જાગ્યો ન હતો. તેમ છતાં મન અને શરીર સુસ્ત કેમ લાગતા હતા એ સમજાતું ન હતું. હું મારી જાતને જ પૂછી રહ્યો હતો કે આજે કેમ કંઇ કામ કરવાનું મન થતું નથી? તબિયત તો સારી જ લાગે છે!પત્નીએ એક-બે વખત પૂછી લીધું કે આજે મૂડમાં કેમ દેખાતા નથી? લીંબું સરબત બનાવી દઉં? મેં ના પાડી એટલે વળી પૂછ્યું. કંઇક ચટપટું બનાવી દઉં? મને