અંતિમ સંસ્કાર

  • 6.6k
  • 3.7k

સાચી શાસ્ત્રીય વિધિ અંતિમસંસ્કારનીઅગ્નિદાહ, જલાંજલિ આપ્યા બાદ રુદન કરવું ન જોઈએ અન્યથા મૃતકને સગાંસંબંધીઓનાં આંસુ અને કફનું પાન કરવું પડે છેલગ્ન, ગૃહપ્રવેશ, નોકરી-ધંધાનો આરંભ મહદંશે શાસ્ત્ર અનુસાર, શુભ મુહૂર્તમાં, વિધિપૂર્વક કરવામાં આવતાં હોય છે, પરંતુ સોળ સંસ્કારોમાં અંતિમસંસ્કાર ભાગ્યે જ વિધિપૂર્વક શાસ્ત્ર સંમત રીતે કરવામાં આવે છે. ભવ્ય સ્મશાનયાત્રા, ભવ્ય પ્રાર્થનાસભા, ભજન સંધ્યાનું ખર્ચાળ આયોજન મૃતક પાછળ કરવામાં આવે છે પણ જે મૃતકની સદ્ગતિ માટે આવશ્યક છે તે શાસ્ત્રીય વિધિ અનુસાર અંતિમસંસ્કાર કરવામાં આવતા નથી. આજે અંતિમસંસ્કારની શાસ્ત્રીય વિધિનો પરિચય મેળવીશું. અંતિમસંસ્કાર બે પ્રકારે કરવામાં આવે છે, જ્યારે મૃત શરીર હોય અને જ્યારે મૃત શરીર ઉપલબ્ધ ન હોય. આજે મૃત