આ જનમની પેલે પાર - ૩૧

(33)
  • 3.7k
  • 2
  • 1.9k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૩૧ ચંદનબેન હેવાલીના જીવનનું એક રહસ્ય ખોલવા જ આવ્યા હતા. સુલુબેને એમના પર કોઇ દબાણ ના કર્યું એ જોઇ એમને આ પરિવાર માટે માન થયું. તે નક્કી કરીને જ આવ્યા હતા કે દિયાન અને હેવાલી અલગ થઇ રહ્યા છે એની પાછળના કારણની અમને જાણ થઇ છે ત્યારે દિયાનના પરિવારને એ જણાવવાની ફરજ બને છે. ચંદનબેને પર્સમાંથી કાગળ કાઢીને સુલુબેનને આપ્યો પછી એમના ચહેરા પર ક્ષોભ અને પોતાની પુત્રીએ વાત છુપાવી હતી એનો અફસોસ દેખાતો હતો.સુલુબેન કાગળ હાથમાં લઇને ઝડપથી એના પર નજર ફેરવવા લાગ્યા. એ કાગળ અસલમાં એક ડૉકટરનો રીપોર્ટ હતો. તેમને અંગ્રેજીમાં લખેલા એ