કોને ભૂલુંને કોને સમરુ રે - 84

  • 1.8k
  • 778

કાનમા આરતીનો ઢોલ પડઘાતો રહ્યો ...પ્રસાદ આપતી વખતે શીવજીબાપા પુજારી નજીકઆવ્યા..."બેટા કેમ ઉદાસ થઇ ગયો?..."પહેલી વખત શીવજીદાદાનો ભીનો અવાજ સાંભળી ચંદ્રકાંતની આંખોય ભીની થઇ ગઇ..."દાદા હવે ખબર નથી અમારુ ભાગ્ય ક્યાં લખાયુ છે...ભણવાનુ હવે પુરુ થયુ એટલે હવે ચુલ્હે ચડવાનુછે...તપવાનુ છે....ત્યારે ભગવાન દત્તાત્રય નહી ભુલી શકીયે ...શીવજી દાદાનો આશિર્વાદ દેતો હાથમાથા ઉપર નહી હોય...હશે ધોમધખતો તાપ...બળબળતી લુ .જો બેટા નિંભાડાની આગથી જ માટલાબને એમ આગળની જીંદગીની સફરમાં તમને સહુને ભગવાનના આશિર્વાદથી મંઝીલ મળી જશે...કર્મકરતા રહેજો...હાર નહી માનતા...મારા ખુબ આશિર્વાદ...લ્યો આજે ટોપરાને ગોળનો પ્રસાદ ખાવ સદાસુખી રહો..."ત્રણેય જણા દાદાને પગે પડ્યા...અને ઢળતી સાંજના એકબીજાના હાથભીડીને મંદિરને ઓટલે કેટલીયેવાર બેસી રહ્યા...એ સાંજ