કર્મોનો હિસાબ - (ભાગ ૧૦)

  • 3k
  • 1.6k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૦ ) ક્રિશ્વી વિચારવા લાગી કે શું કરવું! મનમાં સતત યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ પણ ઘોર. આખરે ક્રિશ્વીને લાગ્યું કે આ યુદ્ધનું સમાધાન શાલીની કરી શકશે. આવું વિચારી ક્રિશ્વીએ શાલીની ને ફોન કર્યો. "કેમ છે તું?" ક્રિશ્વી બોલી. "શું કહેવું છે એ કે." હંમેશાં ની જેમ બોલાતાં ની સાથે ભાવ સમજી જતાં શાલીની એ પુછ્યું. "તને બહું ખબર મારી!" ક્રિશ્વી એ જવાબ આપ્યો. "હા, ખબર હોય જ. બોલ ને શું થયું?" શાલીની એ ફરી પુછ્યું. ક્રિશ્વીએ શાલીની ને એના અને મન વચ્ચે થયેલી વાત કહી. અને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ? સામે