ચિંતા એ છે ઉઘાડો અહંકાર !

  • 2.9k
  • 1.2k

ભગવાનના સાચા ભક્તને તો ચિંતા થાય, તો ભગવાનને ય ટૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી, તે સાચો ભક્ત નથી. જો કંઇ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો-દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે, તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે : ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ મહાવીર ભગવાને કહ્યું છે કે ‘રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.’ ચિંતા ધ્યાન છોડી દે,