ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૯

  • 1.6k
  • 842

વિરેન્દ્રસિંહ મદદ માટેની નાં કહી એટલે મહેકે તેને નાં કહેવાનું કારણ પૂછ્યું.વિરેન્દ્રસિંહ એક તો હતા રાજવી અને ઉપરથી તેનું શહેરમાં મોટું નામ હતું એટલે આવી રીતે લગ્ન. તેના માટે તો વિચાર માત્ર મુશ્કેલી પેદા કરે તેમ હતું. વિરેન્દ્રસિંહ નાં કારણનાં જવાબ આપતા કહે છે.પહેલી વાત કે હું તને જાણતો નથી. હજુ કાલે આપણે મળ્યા ને આજે લગ્ન ની વાત.!! આ નવાઈ ની વાત કહેવાય ને આ વાત કોણ માને..!તું લગ્ન ની વાત કરી છે તે લગ્ન નહિ પણ નાટક છે અને આ નાટક હું પાત્ર ભજવવા તૈયાર નથી. મહેક સમજાવતા કહે છે. કુંવર હું જે લગ્નની વાત વાત કરું છું