પ્રેમનો હિસાબ - 6 - છેલ્લો ભાગ

(58)
  • 4.1k
  • 1.6k

પ્રેમનો હિસાબ ભાગ-૬ રશ્મીના મનમાં મનોમંથન ચાલતું હતું. ત્યા દિગ્વિજય, અર્થવ અને નૂપૂર આવ્યા. તે બધા બેઠા અને વાતચીત ચાલુ કરી. રશ્મીએ અર્થવને પૂછયું અદિતિ વિશે તેના જવાબમાં તેણે કહ્યું કે, મને અદિતિ ગમે છે પણ એની સાથે લગ્ન કરીશ એવું કોઇ દિવસ વિચાર્યુ જ નથી. કદાચ વિચારવા માટે સમય જ ના મળ્યો, પરંતુ અદિતિ બહુ સારી છોકરી છે અને તમને બંનેને એ ગમતી હોય તો મને વાંધો પણ નથી. તમે મારા માટે પહેલા છો.’’ નૂપૂરે પણ અર્થવની વાતને સર્મથન આપ્યું. બહુ ચર્ચા પછી દિગ્વિજયે રશ્મીને કહ્યું કે, આ બધું હું તારા પર છોડું છું. તારી જે મરજી હશે તે