શ્રી સુંદરકાંડ ભાગ - ૯

  • 3k
  • 1.2k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગમાં આપણે જોયું હતુ કે, શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે. જામવંતજી તેને લંકા જવા, ત્યાં જઇ માતા સીતાજીની ભાળ મેળવવા અને પાછા ફરી પ્રભુશ્રીરામને માતા સીતાજીનો સંદેશો આપવા માર્ગદર્શન આપે છે. જામવંતજી એવું પણ કહે છે કે, ત્યારબાદ રાજિવનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. કિષ્કિંધાકાંડની પૂર્ણાહુતિમાં માનસકારે આજ વાત માટે છંદ પણ મૂકેલ છે. છંદ કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં । ત્રૈલોક પાવન