પ્રાયશ્ચિત - 77

(83)
  • 7k
  • 7
  • 5.9k

પ્રાયશ્ચિત પ્રકરણ 77" ગુરુજી કેતનનું પ્રાયશ્ચિત હવે પૂરું થવા આવ્યું છે. આપની આજ્ઞાનું પાલન કરીને હું અમેરિકા ગયો અને સંકલ્પ કરીને મેં એને મારી પાસે બોલાવ્યો. એનો પૂર્વ જન્મ યાદ કરાવી એના પાપનું પ્રાયશ્ચિત કરવા પ્રેરણા આપી." " હવે એ સાચા હૃદયથી જાતે સેવાના માર્ગે વળેલો છે. મારી ધારણા કરતાં પણ એની નિષ્ઠા બળવાન છે. હવે એનામાં કર્તાપણાનો ભાવ જરા પણ રહ્યો નથી. અહંકારથી પણ હવે એ દૂર છે. હવે એનો આગળનો માર્ગ શું છે ? આપ આજ્ઞા આપો એ પ્રમાણે હું એને પ્રેરણા આપું. ગુરુજી, આપનો એની સામે પ્રત્યક્ષ થવાનો સમય પાકી ગયો છે !! " સ્વામી ચેતનાનંદ ઋષિકેશની પોતાની કુટિરમાં